Veer Narmad South Gujarat University (VNSGU) Bharti / Recruitment 2024 | વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી વિવિધ જગ્યાઓ પર ભરતી જાહેરાત | www.brscollege.com

Veer Narmad South Gujarat University (VNSGU) Bharti / Recruitment 2024 |  વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી વિવિધ જગ્યાઓ પર ભરતી જાહેરાત | www.brscollege.com 


વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત

શ્રી. ઈ. ખો. ચાવડા ગ્રામ વિદ્યાપીઠ, કહાનવાડી

વિવિધ જગ્યાઓ પર ભરતી જાહેરાત


જગ્યાનું નામ અને કુલ જગ્યા : 

  1. અધ્યાપક (કૃષિ) - ૧ જગ્યા
  2. અધ્યાપક (ભાષા) અંગ્રેજી - ૧ જગ્યા
  3. શ્રમ સંયોજક - ૧ જગ્યા


જગ્યાનું નામ : અધ્યાપક (કૃષિ)

જગ્યાની સંખ્યા : ૧ જગ્યા

શૈક્ષણિક લાયકાત  :

  • એમ.એસ.સી (એગ્રી) ૫૫ % ગુણ
  • એમ.આર.એસ. ૫૫ % ગુણ

પગાર ધોરણ : પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પગાર માસિક રૂl. ૩૮,૦૯૦

ઉંમર : ૩૭ વર્ષ


જગ્યાનું નામ : અધ્યાપક (ભાષા) અંગ્રેજી 

જગ્યાની સંખ્યા : ૧ જગ્યા

શૈક્ષણિક લાયકાત  : એમ.એ. ૫૫% ગુણ  (અંગ્રેજી)

પગાર ધોરણ : પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પગાર માસિક રૂl. ૩૮,૦૯૦

ઉંમર : ૩૭ વર્ષ


જગ્યાનું નામ : શ્રમ સંયોજક

જગ્યાની સંખ્યા : ૧ જગ્યા

શૈક્ષણિક લાયકાત  : બી.આર.એસ પ્રથમ વર્ગ અથવા બી.એસ.સી (એગ્રી) પ્રથમ વર્ગ

પગાર ધોરણ : પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પગાર માસિક રૂI. ૩૧૩૪૦

ઉંમર : ૩૭ વર્ષ


શૈક્ષણિક રીતે પછાત વર્ગ / અનુસુચિત જાતિ, અનુ.જન જાતિ, આર્થિક રીતે નબળા વર્ગ તથા મહિલા ઉમેદવારો માટે વય મર્યાદામાં પાંચ વર્ષ સુધીની છૂટછાટ મળવા પાત્ર છે.


પરીક્ષા પધ્ધતિ : MCQ-Computer Based Response (CBRT) પધ્ધતિ


૧. સંબંધિત જગ્યાને અનુરૂપ જાહેરાત મુજબની લાયકાત અને વયમર્યાદા ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિધ્ધ થયેલી  દિન -૧૫ માં પોતાની શૈક્ષણિક લાયકાત, ઉંમર અને અનુભવના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો સાથે ફક્ત રજી. એ.ડી.થી જ નીચેના સરનામે અરજી કરવાની રહેશે. કવર ઉપર જે જગ્યા માટે અરજી કરી હોય તે સ્પષ્ટ દર્શાવવું.


જાહેરાત પ્રસિધ્ધ : 12/09/2024


૨. ઉમેદવારે અરજી સાથે ૧૦૦ રૂપિયા પ્રોસેસિંગ ફી નો ડી.ડી. આચાર્યશ્રી ઈ.ખો.ચાવડા ગ્રામ વિદ્યાપીઠ કહાનવાડીના નામનો જોડવો.વધુ વિગત તેમજ લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ અને ભરતી માટેની શરતો સંસ્થાની વેબસાઈટ   www.brscollege.com પરથી સંપૂર્ણ વિગતો ધ્યાને લઈ અરજી કરવાની રહેશે.


૩.  આ જગ્યા પર નિમણુક પામનારે ગ્રામવિદ્યાપીઠ સંસ્થાના કેમ્પસ પર ફરજીયાત રહેવાનું રહેશે અને અધિકૃત અધિકારીની પરવાનગી વગર મુખ્ય મથક છોડી શકાશે નહિ.


૪.   કોમ્પ્યુટર અંગેનું બેજીક જ્ઞાન ધરાવતા હોવા ધરાવતો હોવા જોઈએ


૫.  પાંચ વર્ષ માસિક ઉચ્ચક પગારની નોકરી પૂર્ણ થયે તેમની કામગીરીની સમીક્ષા કર્યા પછી યોગ્ય જણાયેથી મંજુર થયેલ પગાર ધોરણમાં લઘુત્તમ પગારમાં નિમણુક આપવામાં આવશે.પરંતુ આવા ઉમેદવારે અગાઉ કરેલ પાંચ વર્ષની નોકરી સેવા વિષયક કોઇપણ હેતુ અર્થે ધ્યાને લેવામાં આવશે નહિ. તેમજ મંજુર પગાર ધોરણવાળી નોકરી સાથે જોડવામાં આવશે નહિ.

૬.  જો આ ગ્રામવિદ્યાપીઠમાં સંખ્યા ઘટે અથવા અન્ય કોઈ કારણસર ગ્રામવિદ્યાપીઠ બંધ થાય તો આ યોજના હેઠળ નિમણુક પામેલા કર્મચારીઓને છુટા કરવામાં આવશે અને તેને ફાજલનું રક્ષણ મળી શકશે નહિ.


અરજી કરવાનું સરનામું :

મંત્રીશ્રી

શ્રી રાષ્ટ્રીય કેળવણી મંડળ-સત્યાગ્રહ છાવણી

મુ. બોરસદ(વા.) તા.-બોરસદ જી.આણંદ ૩૮૮૫૪૦.


ભરતી જાહેરાત https://brscollege.com/%e0%aa%ad%e0%aa%b0%e0%aa%a4%e0%ab%80-%e0%aa%9c%e0%aa%be%e0%aa%b9%e0%ab%87%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4/


જાહેરાતનાં વિસ્તૃત નિયમો : https://brscollege.com/%e0%aa%9c%e0%aa%b9%e0%aa%b0%e0%aa%a4%e0%aa%a8-%e0%aa%b5%e0%aa%b8%e0%aa%a4%e0%aa%a4-%e0%aa%a8%e0%aa%af%e0%aa%ae/


More Information :